1. ‘ઉછીનું માગનારાઓ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠનો સાહિત્યપ્રકાર હાસ્યનિબંધ છે. 2. ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખક કોણ છે ?
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખક નટવરલાલ પ્રભુલાલ બૂચ છે. 3. નટવરલાલ બૂચનો જન્મ ક્યાં થયો હતો ?
* નટવરલાલ બૂચનો જન્મ ગોંડલમાં થયો હતો. 4. ‘ઉછીનું માગનારાઓ’ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે ?
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠ ‘રામરોટી બીજી’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. 5. ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખકને ગુજરાતી સાહિત્ય પરિષદનું કયું પારિતોષિક મળ્યું છે ?
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખક નટવરલાલ બૂચને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક’ મળ્યું છે. 6. ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખકને કયો એવોર્ડ મળ્યો છે ?
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખકને ‘દર્શક’ એવોર્ડ મળ્યો છે. 7. નટવરલાલ બૂચ કઇ સંસ્થાઓમાં અંગ્રેજી શિક્ષક તરીકે રહ્યા હતા ?
* નટવરલાલ બૂચ દક્ષિણામૂર્તિ, ઘરશાળા અને ગ્રામદક્ષિણામૂર્તિ અંબાલા સંસ્થાઓમાં અંગ્રેજી શિક્ષક તરીકે રહ્યા હતા. 8. લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે ?
* લેખકે ઉછીનું માગનારા લોકોને અપરિગ્રહી પણ યાચકવૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. 9. જગતમાં કયો દ્વન્દ્વ અનુભવાય છે ?
* જગતમાં શોષક-શોષિતનો દ્વન્દ્વ અનુભવાય છે. 10. ઉછીનું માગનારાઓની નજર કેવી હોય છે ?
* ઉછીનું માગનારાઓની નજર ગીધ જેવી હોય છે. 11. ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલી વસ્તુ ભાંગેતૂટે ત્યારે કોનો દોષ કાઢે છે ?
* ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલી વસ્તુ ભાંગેતૂટે ત્યારે વસ્તુનો અથવા ઉછીની વસ્તુ આપનારનો દોષ કાઢે છે. 12. લેખકના મતે ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી કેમ વાપરે છે ?
* લેખકના મતે ઉછીનું માગનારાઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાહીથી વાપરે છે કારણ કે તે વસ્તુઓ તેમની હોતી નથી. 13. લવંગીબહેન પાત્ર કયા પાઠમાં આવે છે ?
* લવંગીબહેન પાત્ર ‘ઉછીનું માગનારાઓ’ પાઠમાં આવે છે. 14. ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી ?
* ઉછીનું માંગનારમાં કઇ વસ્તુ મંગાય અને કઇ વસ્તુ ન મંગાય એનો વિવેક હોતો નથી. 15. ઉછી ડોશીએ વૈધ પાસે શી માંગણી કરી ?
* ઉછી ડોશીએ વૈધ પાસે બે વરસની આવરદા ઉછીની આપવાની માંગણી કરી. 16. ઉછી ડોશી ફરી વાર માંદા પડ્યા ત્યારે કેમ કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહિ ?
* ઉછી ડોશી ફરી વાર માંદા પડ્યા ત્યારે રખે ડોશી આવરદા ઉછીની માંગે એ કારણથી કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહિ. 17.‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખકને કયા એવોર્ડથી સન્માનિત કરાયા છે ?
* ‘ઉછીનું માગનારાઓ’ પાઠના લેખક નટવરલાલ બૂચને દર્શક ફાઉન્ડેશન તરફ્થી ‘દર્શક’ એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.
No comments:
Post a Comment